મેડાગાસ્કરમાં એક અઠવાડિયા જેટલા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લીધે હવે ત્યાંનાં પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોલીનાની નાગરિકતા છીનવી લેવામાં આવતા રાજકારણમાં મોટો હડકંપ જોવા મળ્યો હતો.
રાષ્ટ્રપતિની નાગરિકતા છીનવાઇ
નેપાળમાં થયેલ ક્રાંતિ બાદ હવે મેડાગાસ્કરમાં Gen-Z આંદોલનકારીઓએ બળવો પોકાર્યો છે. મેડાગાસ્કરમાં Gen-Z આંદોલનકારીઓનો બળવો એ હદનો વધી ગયો કે ત્યાંનાં રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોલીના જવાબદારી મૂકીને દેશ મૂકીને પલાયન કરી ગયા હતા. રાષ્ટ્રપતિણી આ હરકત બાદ લશ્કરી જુન્ટાએ પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોલીનાની નાગરિકતા છીનવી લીધી છે. મળતી માહિતી મુજબ રાજોલી અજ્ઞાત સ્થળે ભાગી ગયા છે.













