નેપાળમાં હાલમાં મોટું રાજકીય અને સામાજિક સંકટ જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શનો અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પર જનવિરોધી આંદોલન બાદ રાજીનામું આપી દીધું છે. આ પ્રદર્શનોમાં પોલીસની કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા 22 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા છે.













