નેપાળની વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કી રવિવારે પોતાના મંત્રીમંડળનુ વિસ્તરણ કરી શકે છે. તો બીજી તરફ મંત્રીઓના નામને અંતિમ રૂપ આપવા માટે પોતાના સહયોગીઓ સાથે વિચાર વિમર્શ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ નાનુ હશે. શુક્રવારે રાત્રે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કાર્કીને વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


20થી વધુ મંત્રાલય પોતાની પાસે જ રાખી શકે છે

પીએમ કાર્કી ગૃહ, વિદેશ અને રક્ષા સહિત લગભગ 20થી વધારે મંત્રાલય પોતાની સાથે રાખી શકે છે. મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે શનિવારે સમય નિકાળીને તે સરકાર વિરોધઈ પ્રદર્શનમાં ઘાયલોને મળવા માટે સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. શુક્રવારે શપથ લીધા બાદ તરત જ તેઓ હોસ્પિટલ પહોંચીને ઘાયલો હાલ પૂછ્યા હતા.

સોમવારથી ખુલશે સ્કૂલ

કાઠમંડૂ મહાનગરપાલિકા વિસ્તારની સ્કૂલોમાં સોમવારથી અભ્યાસ ફરી શરૂ કરવામાં આવશે. શનિવારે જાહેર કરેલી સૂચનામાં મહાનગર દ્વારા કહેવામાં આવ્યુ છે કે શિક્ષક અને કર્મચારી રવિવારે જ સ્કૂલમાં ઉપસ્થિત રહશે. પરંતુ અભ્યાસ સોમવારથી શરૂ કરવામાં આવશે. રવિવારે સ્કૂલોમાં પ્રશાસનિક કામ, ક્ષતિનુ મૂલ્યાંકન અને વિવરણ સંકલન કરવામાં આવશે. અધિકારીઓ અનુસાર જો સ્કૂલ સંચાલન યોગ્ય સ્થિતિમાં હશે ત્યાં અભ્યાસ શરૂ કરાશે. યુવાઓના આંદોલનને કારણે 8 સપ્ટેમ્બરથી શાળાઓ બંધ કરવામાં આવી હતી.

નેપાળમાં ધીરે ધીમે સામાન્ય થઇ રહ્યુ છે જનજીવન

કેટલાય દિવસોથી અશાંતિ બાદ નેપાળમાં હવે ધીરે ધીરે જનજીવન સામાન્ય થઇ રહ્યુ છે. કાઠમંડૂની ઘાટી સહિત અન્ય ભાગોમાં શનિવારથી કફર્યુ હટાવી લેવામાં આવ્યો હતો. દુકાનો કિરાણા સ્ટોર, શાકભાજી બજાર અને શોપિંગ મોલ ફરીથી ખુલ્લા થયા. રસ્તાઓ પર પણ વાહનોની ચહલ પહલ જોવા મળી હતી.


  • Follow us on: