છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં ભારે વરસાદ કારણે ભયાનક પૂર આવ્યું છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગુમ થયા છે. આ વર્ષની ચોમાસાની સિઝનની સૌથી ઘાતક ઘટના આ પૂર બન્યું છે.


વરસાદ 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની આશંકા

છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ અને પૂરથી ખેબર પખ્તુનખ્વામા ભારે તબાહી મચી ગઈ છે. શનિવારે સવાર સુધીમાં 307 લોકોના મોત થયા છે અને ઘણા લોકોની જાણકારી હજુ પણ મળી રહી નથી. વરસાદ 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની આશંકા છે, જેના કારણે હજુ પણ સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. આ દુર્ઘટના પાછળનું કારણ વાદળ ફાટવાનું, પૂર, વીજળી પડવાનું કારણ છે. માત્ર પાકિસ્તાન જ નહીં પણ ભારત-નેપાળના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદ અને પુરથી ભારે નુકસાન થયું છે.

બુનર જિલ્લો સૌથી વધારે પ્રભાવિત થયો

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની નજીક આવેલો બુનર જિલ્લો સૌથી વધારે પ્રભાવિત થયો છે. જ્યાં 184 લોકોના મોત થયા છે. આ સાથે જ પાક અને ખેતરોને પણ વ્યાપાક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. બુનરમાં હજુ પણ લોકો અને ખાસ કરીને મહિલાઓ તથા બાળકો પાણીમાં ફસાયેલા છે. જ્યાંથી 93 મૃતદેહ મળી આવ્યા છે. બીજા પ્રભાવિત વિસ્તાર શાંગલામાં ભારે વરસાદથી એક ઈમારતની છત પડવાથી 34 લોકોના મોત થયા છે. હાલમાં બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. 

  • Follow us on: