પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈસલાબાદમાં શુક્રવારે, 21 નવેમ્બરે એક કારખાનાની અંદર ગૈસ વિસ્ફોટ થવાને કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત નીપજ્યા છે અનેક લોકો ઘાયલ થયા છે. એક રિપોર્ટ પ્રમાણે કમિશ્નર ઓફિસ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ન માત્ર કારખાનાની આથી બિલ્ડિંગ પડી પરંતુ તેની પાસેના ઘરો પરની છત પણ ઉડીને દૂર દૂર સુધી વિખેરાઇ.


ફૈસલાબાદના કમિશ્નર ઓફિસ દ્વારા અપાયું નિવેદન

આ રિપોર્ટ અનુસાર આ પહેલા, રેસ્ક્યુ 1122એ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે ઘટના સવારમાં બનવા પામી જ્યારે કારખાનાનુ બોયલર ફાટ્યુ, જેના કારણે બિલ્ડિંગ અને આસપાસના ઘરો પડી ગયા. જોકે, બાદમાં માહિતી મળી કે આ વિસ્ફોટ પાછળનુ કારણ ગેસ લિકેજ હતુ. મ આપીને આનું કારણ જણાવવામાં આવ્યુ છે.

વિસ્ફોટમાં 15ના મોત,10 લોકો ઘાયલ

નિવેદન પ્રમાણે, ઘાયલો માંથી 10 લોકોને હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. જ્યારે ઘાયલ થયેલા 3 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે ઘટનાની તપાસ માટે પાંત સદસ્યીય તપાસ દળની રચના પણ કરવામાં આવી છે.

નવાઝ શરીફે ઘટના પર માગ્યો રિપોર્ટ

પંજાબના મુખ્યમંત્રી અને પૂર્વ પીએમ નવાઝ શરીફની દિકરી મરિયમ નવાઝે ઘટનામાં લોકોના મોત પર દુખ જતાવ્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે શોકમાં ડૂબેલા પરિવારો પ્રતિ તેમની સંવેદના છે અને ફૈસલાબાદ કમિશ્નર પાસેથી આ ઘટના પર રિપોર્ટ માગ્યો છે.


  • Follow us on: