પાકિસ્તાનમાં 26 જૂનથી વરસી રહેલા સતત વરસાદ અને તેને કારણે આવેલા અચાનક પૂરને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ પૂર અને વરસાદના કારણે પાકિસ્તાનના જુદા-જુદા વિસ્તારોમાં ઓછામાં ઓછા 116 લોકોના મોત નિપજ્યા છે. આ દરમિયાન 253 લોકો ઘાયલ પણ થયા છે. આ જાણકારી મંગળવારે પાકિસ્તાનના NDMAએ આપી હતી. હાલના રિપોર્ટ પ્રમાણે ગયા 24 કલાક દરમિયાન વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 5 અન્ય લોકોના મોત નિપજ્યા છે અને 41 લોકો ઘાયલ થયા છે.
પૂર્વ પંજાબમાં સૌથી વધુ અસર અનુભવાઈ













