પાકિસ્તાનમાં મીડિયા પર મોટી કાર્યવાહી જોવા મળી છે.પાકિસ્તાન સરકારે દેશની સૌથી મોટી ન્યૂઝ ચેનલોમાંની એક 'જિયો ન્યૂઝ'નું ટીવી લાયસન્સ અને પ્રસારણ 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધું છે. સરકારનું કહેવું છે કે ચેનલના એક કાર્યક્રમમાં એવા દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા,જેનાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી. આ મામલે આગળની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સરકાર હેઠળ કામ કરતી 'પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી' (PEMRA) એ મધરાત્રે આદેશ જાહેર કરીને જિયો ન્યૂઝનું ટીવી લાયસન્સ અને પ્રસારણ 15 દિવસ માટે સ્થગિત કરી દીધું હતું.


આખા મામલાની આંતરિક તપાસ કરવા સૂચના

PEMRAના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જિયો ન્યૂઝે શુક્રવારે સવારે પ્રસારિત થયેલા તેના કાર્યક્રમ "સફર-એ-ઈશ્ક" માં કેટલાક એવા દ્રશ્યો બતાવ્યા હતા, જેનાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી. આ આધાર પર ચેનલ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. PEMRA એ આ મામલાને આગળની કાયદાકીય કાર્યવાહી માટે રેગ્યુલેટરી કાઉન્સિલ પાસે મોકલી દીધો છે. તપાસ બાદ પાકિસ્તાનના કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રેગ્યુલેટરી ઓથોરિટીએ જિયો ન્યૂઝને પણ પોતાના સ્તરે આખા મામલાની આંતરિક તપાસ કરવા સૂચના આપી છે.

પાકિસ્તાન સરકારે જિયો ન્યૂઝ વિરુદ્ધ આ કાર્યવાહી કરી

 ચેનલને કહેવામાં આવ્યું છે કે તે કાર્યક્રમના પ્રસારણ અને તેની સાથે જોડાયેલા તથ્યોની સમીક્ષા કરીને રિપોર્ટ રજૂ કરે. માહિતી અનુસાર, આ કાર્યવાહી 'મરકઝી જમીયત અહલે હદીસ' ના પ્રમુખ ઈબ્તિશામ ઝહીરની ફરિયાદ બાદ કરવામાં આવી છે. ઈબ્તિશામ ઝહીરને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સરગના હાફિઝ મુહમ્મદ સઈદનો જૂનો સહયોગી પણ માનવામાં આવે છે. ફરિયાદ મળ્યા બાદ પાકિસ્તાન સરકારે જિયો ન્યૂઝ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.


આ પણ વાંચોઃ World News: અમેરિકાને ઈરાને વળતો જવાબ આપ્યો, આઠ સૈન્ય ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો



  • Follow us on: