BNPએ આરોપ લગાવ્યો છે કે કટ્ટરપંથી ઇસ્લામી પક્ષ જમાત-એ-ઇસ્લામી શેરી વિરોધ પ્રદર્શન અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા આગામી વર્ષની સામાન્ય ચૂંટણીઓમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરી રહી છે.

કોની સત્તા અને કોનો વિરોધ પક્ષ ?

BNP સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય સલાહુદ્દીન અહેમદે ઢાકામાં આયોજિત યુવા સંવાદમાં જમાત પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું કે જો પાર્ટી સત્તામાં પાછા ફરવાનો આટલો વિશ્વાસ ધરાવે છે તો ચૂંટણીમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કેમ કરી રહી છે. બાંગ્લાદેશના અગ્રણી મીડિયા આઉટલેટ UNB એ BNP નેતાને ટાંકીને કહ્યું હતુ કે, જમાત અને અન્ય પક્ષો દ્વારા દેશભરમાં કેટલીક રેલીઓ યોજાઈ હતી. જમાતના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ સરકાર બનાવશે. જ્યારે BNP વિરોધ પક્ષમાં બેસશે.

બેવડા ધોરણોની કરાઇ નિંદા

સલાઉદ્દીન અહેમદે રાષ્ટ્રીય પાર્ટી અને 14-પક્ષીય જોડાણ પર પ્રતિબંધની માંગણી કરવા બદલ જમાતની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે BNP જાણે છે કે, પક્ષનો વાસ્તવિક હેતુ રાષ્ટ્રીય ચૂંટણીઓને પાટા પરથી ઉતારવાનો છે. BNP નેતાએ જમાતના બેવડા ધોરણોની પણ નિંદા કરી. તેમણે કહ્યું કે જનતા જોઈ રહી છે કે પ્રમાણસર પ્રતિનિધિત્વ સિસ્ટમ લાગુ કરવા, 14-પક્ષીય જોડાણ પર પ્રતિબંધ મૂકવા અને રાષ્ટ્રીય પાર્ટી સહિત અનેક માંગણીઓ માટે ચાલી રહેલા આંદોલનમાં તેણે કયા જૂથને ટેકો આપ્યો છે.

વાતચીતથી લાવો ઉકેલ

સલાઉદ્દીને કહ્યું હતુ કે, મતભેદો લોકશાહીનો ભાગ છે અને કોઈપણ પક્ષને લોકશાહી માધ્યમથી પોતાની માંગણીઓ દબાવવા માટે રસ્તાઓ પર ઉતરવાનો અધિકાર છે. અમે કહી રહ્યા છીએ કે આ મુદ્દાઓ હજુ પણ વાટાઘાટોના ટેબલ પર ઉકેલની રાહ જોઈ રહ્યા છે. તો શું તમે વધારાનું દબાણ લાવવા માટે રસ્તાઓ પર ઉતરી રહ્યા છો?. જમાત પર નિશાન સાધતા બીએનપી નેતાએ કહ્યું કે, જો તમે આવું કરશો, તો આપણે પણ તેનો સામનો કરવા માટે રસ્તાઓ પર ઉતરવું પડશે. શું આપણે એ જ ઇચ્છીએ છીએ? તેમણે ઉમેર્યું, "અમે ઇચ્છીએ છીએ કે આ મુદ્દાઓ વાટાઘાટોના ટેબલ પર ઉકેલાય.

  • Follow us on: