મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની સત્તા સંભાળી છે ત્યારે રાજકીય હડકંપ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે તેમનો કાર્યકાળ એક વર્ષ પૂર્ણ થયો છે. ત્યારે તેમની નિષ્ફળતાઓ સામે આવવા લાગી છે. બાંગ્લાદેશના કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે વ્યવસાય પણ ઠપ્પ થઈ ગયા છે. છેલ્લા એક વર્ષમાં, સાવર, ગાઝીપુર, ચિત્તાગોંગ, નારાયણગંજ અને નરસિંગડીમાં 353 ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે.


બેરોજગારીનો ગ્રાફ વધ્યો

મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં આર્થિક સ્થિતિ ચિંતાજનક છે. છેલ્લા એક વર્ષમાં 353 ફેક્ટરીઓ બંધ થઈ છે. જેના કારણે લગભગ 1.2 લાખ કામદારો બેરોજગાર થયા છે. ફેક્ટરીઓ બંધ થવા પાછળના કારણો ઊંચા વ્યાજ દર, કાચા સામાનની અછત અને કામદારોનો અસંતોષ છે. પરિણામે 1.19,842 કામદારો બેરોજગાર થઈ ગયા છે. પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે ઘણા બેરોજગાર રોજગારની શોધમાં ભટક્યા પછી નિરાશામાં પોતાના ગામોમાં પાછા ફર્યા છે. બંધ થયેલી મોટાભાગની ફેક્ટરીઓ રેડીમેડ ગાર્મેન્ટ, નીટવેર અને ટેક્સટાઇલ ઉદ્યોગો સાથે સંબંધિત છે. ફેક્ટરી નિરીક્ષણ વિભાગ અને ઔદ્યોગિક પોલીસ સહિતના સંબંધિત સ્ત્રોતોમાંથી આ માહિતી બહાર આવી છે. ઉદ્યોગ માલિકો કહે છે કે દેશમાં ઉદ્યોગો અને કારખાનાઓ બેંક લોનના વ્યાજ દર અને કામદારોના અસંતોષ સહિતના વિવિધ કારણોસર બંધ થઈ રહ્યા છે.

નવી સત્તાનું થશે સર્જન ?

એક વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી, મુખ્ય સલાહકાર સામે ઘણા આરોપો સામે આવ્યા છે. ઘણા રાજકીય પક્ષો અને તેમના વિરોધીઓએ સત્તામાં રહેવાના તેમના ઇરાદાનો વિરોધ કર્યો હતો. શેખ હસીનાના બળવાની વર્ષગાંઠ પર, યુનુસે જાહેરાત કરી છે કે દેશમાં ફેબ્રુઆરી 2026 માં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. 

  • Follow us on: