શેખ હસીનાની હરકતથી બાંગ્લાદેશ નારાજ છે અને ભારતીય રાજદૂતને સમન્સ મોકલવામાં આવ્યું છે.

ભારતથી બાંગ્લાદેશ સુધી ખળભળાટ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીના ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે, તેમણે એવું કંઈક કર્યું છે જેનાથી ભારતથી બાંગ્લાદેશ સુધી ખળભળાટ મચી ગયો છે. શેખ હસીના સતત ભારતીય મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહી છે. તેમણે વર્તમાન વચગાળાના સરકારના વડા, મોહમ્મદ યુનુસ અને ઉગ્રવાદી તત્વો પર સવાલ ઉઠાવ્યા હતા. શેખ હસીનાના ઇન્ટરવ્યુથી બાંગ્લાદેશ ગુસ્સે થયુ છે. આ આક્રોશના જવાબમાં, બાંગ્લાદેશે બુધવારે ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનરને બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો.

ભારત "કાયમી મિત્ર" છેઃ શેખ હસીના

શેખ હસીનાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ આજે પાકિસ્તાનની જેમ હાઇબ્રિડ શાસનમાં ફસાઈ જવાના ભયમાં છે, અને આ પરિસ્થિતિને રોકવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે ભારતને "કાયમી મિત્ર" ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ઢાકાએ હંમેશા ભારતને એક વિનંતી કરી છે. સામાન્ય બાંગ્લાદેશીઓની ઇચ્છાઓનો આદર કરો અને તેમને પોતાની સરકાર પસંદ કરવાની મંજૂરી આપો. હસીનાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારત સાથેના તેમના ગાઢ સંબંધો કોઈ સંયોગ નથી, પરંતુ લાંબા સમયથી ચાલતા વિશ્વાસ પર આધારિત સંબંધ છે.

યુનુસ આપે છે ઉગ્રવાદીઓને પ્રોત્સાહનઃ શેખ હસીના

શેખ હસીનાએ જણાવ્યું હતું કે યુનુસના ભારત સરકાર સાથેના તણાવનો તેમની સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું હતું કે, યુનુસે ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપ્યું છે, લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા છે, અને તેમના ભારત વિરોધી વાણીવિચારથી સંબંધોને નુકસાન થયું છે. દરમિયાન, ઢાકામાં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. રાજધાની એક કિલ્લામાં ફેરવાઈ ગઈ હતી, જે વધતા તણાવને દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલ શેખ હસીના સામે યુદ્ધ ગુનાના આરોપો માટે કોઈપણ દિવસે તારીખ નક્કી કરી શકે છે. 

  • Follow us on: