આ વર્ષે 10 ઓક્ટોબરે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે પરંતુ આ જાહેરાતથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નારાજ થવાની શક્યતાઓ ખૂબ વધી ગઈ છે.


ટ્રમ્પના જીતવાની શક્યતા ઓછી!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના પ્રમુખ પદે બિરાજમાન થયા છે ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે એવો એક પણ મોકો હાથમાંથી જવા નથી દીધો કે જેમાં તેઓ પોતાના નામની વાહવાહ ન કરાવી શકે. વિશ્વમાં કોઈપણ ખૂણામાં બે દેશ વચ્ચે જ્યારે માથાકૂટ થઈને શાંતિ સ્થપાય છે તો એનો સીધો જશ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ફાળે જવા દે છે. એવામાં પોતાને વિશ્વ શાંતિદૂત માનનાર ટ્રમ્પના નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા પર સવાલ ઊભા થયા છે.

ટ્રમ્પ સ્વઘોષિત વિશ્વ શાંતિદૂત!!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના એક માત્ર એવા નેતા હશે જે સ્વઘોષિત વિશ્વ શાંતિદૂત હશે. આવું કહેવા પાછળનું કારણ બસ એટલું કે ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે તેમણે વિશ્વના અલગ અલગ ખૂણે ચાલતા આઠ જેટલા મહાન યુદ્ધો તેમની રાજનૈતિક સુજબૂજથી રોકી નાખ્યા છે, અને આજ બાબતથી તેમનું માનવું છે કે આ મહાન કારણોસર તેઓ વિશ્વ સમક્ષ નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માટે સૌથી લાયક નેતા છે.

નિષ્ણાતો ટ્રમ્પના દાવાઓથી નારાજ

મળતી માહિતી મુજબ ઓસ્લો સ્થિત નોર્વેજીયન નોબેલ સમિતિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રકારના નિવેદન અને જુમલાઓથી ઘણી નારાજ ચાલી રહી છે. ઓસ્લો સ્થિત નોર્વેજીયન નોબેલ સમિતિ શુક્રવારે વિજેતાની જાહેરાત કરશે અને આ જાહેરાત બાદ મહિનાઓથી ચાલી રહેલી અટકળોનો મૂળથી અંત આવશે. નિષ્ણાતોના મત મુજબ નોબેલ સમિતિ ટ્રમ્પના દાવા સાથે સહમત નથી. 

  • Follow us on: