- પાકિસ્તાનમાં આગમન પૂર્વે શરીફે કોર્ટ સમક્ષ કર્યું હતું આત્મસમર્પણ
- પ્રતિપક્ષ NAB નાં વકીલે જામીન આપવા પર ન કર્યો વિરોધ
- સરકારે કલમ 401 હેઠળ શરીફની સજા કરી સ્થગિત
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો નવાઝ શરીફને મંગળવારે જવાબદાર અદાલત દ્વારા તોશાખાના કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. ત્રણ વખત પાકિસ્તાનનાં પીએમ રહી ચૂકેલા શરીફ પર વાસ્તવિક કિંમતના 15 ટકા ચૂકવીને તોશાખાનામાંથી કથિત રીતે લક્ઝરી વાહનો મેળવવાનો આરોપ છે. વર્ષ 2020 માં નવાઝ શરીફને અદાલત દ્વારા તોશાખાના સંદર્ભમાં 'ઘોષિત અપરાધી' જાહેર કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં તેમની સતત ગેરહાજરી માટે તેમના પર કાયમી ધરપકડ વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. 19 ઓક્ટોબરના રોજ શરીફનું ધરપકડ વોરંટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં તેમના આગમનના દિવસો પહેલા તોશાખાના કેસમાં જજ મુહમ્મદ બશીરની કોર્ટ સમક્ષ શરીફે આત્મસમર્પણ કર્યું હતું.
10 લાખમાં મળ્યાં જામીન













