• એક મૅગેઝિનમાં ISISના આતંકી ભારતના પૂજાસ્થળો પર હુમલો કરશે એવો લેખ આપ્યો
  • મૅગેઝિનમાં તાલિબાન અને ભારતનો પણ કરાયો ઉલ્લેખ
  • મૉસ્કોમાં આતંકી હુમલા બાદ આતંકી સંગઠને ભારતને પણ આપી ધમકી


રશિયા પર હુમલા બાદ હવે ઈસ્લામિક સ્ટેટ ખોરાસાને ભારતને ધમકી આપી છે. 'ધ ઇસ્લામિક સ્ટેટ વિલ એન્ડ્યોર' શીર્ષકવાળા લેખમાં આઇએસકેપીને ખતમ કરવાના તાલિબાનના દાવાની મજાક ઉડાવી છે. આ લેખમાં કહેવામાં આવ્યું છે કે ISKPએ અફઘાનિસ્તાનના લોહીથી ઈરાનની ભૂમિને રંગાવી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે ખોરાસાનમાં ISKP વધુ મજબૂત બની રહ્યું છે. આ લેખ ધમકી આપે છે કે 'દુનિયાના તમામ કાફિરો અને ઇસ્લામિક દેશોમાં તેમની કઠપૂતળીઓએ મુસ્લિમો પર કરેલા અત્યાચારોની કિંમત ચૂકવવી પડશે.'

ખરેખર, આ લેખ 'વોઈસ ઓફ ખુરાસાન' મેગેઝીનની નવી આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ જ મેગેઝિનના અન્ય એક લેખ, 'ધ સ્પાઈડર હાઉસ'માં, ISKP એ ચેતવણી આપી છે કે તાલિબાન અને અન્ય કઠપૂતળી પશ્ચિમી ઈસ્લામિક દેશો દ્વારા કાફિરોને સુરક્ષિત કરવામાં આવશે નહીં. ISKPએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં જ નાસ્તિકોના આ રક્ષકોને હરાવીને અમેરિકા, યુરોપ, ચીન, ભારત અને ઈરાન સુધી પહોંચી જશે.

ભારત વિરુદ્ધ લેખમાં શું લખ્યું હતું?

'વોઈસ ઓફ ખુરાસાન' મેગેઝિનમાં 'ધ ઈન્ડિયન કિંગ્સ એન્ડ તાલિબાન સર્વન્ટ્સ' શીર્ષકથી એક લેખ પ્રકાશિત થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતમાં ધાર્મિક સ્થળો પર લોહી વહેવડાવશે. તેમાં ભારત અને તાલિબાન વચ્ચેના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય ISKPએ પણ પાકિસ્તાનને ચેતવણી આપી છે. ISKPએ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને લઈને પાકિસ્તાનને ધમકી આપી છે. તેણે કહ્યું કે તે ટૂંક સમયમાં અફઘાનિસ્તાનમાં નાગરિકોના મોતનો બદલો લેશે.

મૉસ્કો હુમલાની જવાબદારી ISKPએ લીધી હતી

રશિયાના મોસ્કો શહેરમાં શુક્રવારે કોન્સર્ટ હોલમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી ISKPએ લીધી છે. આ હુમલામાં 143 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ સીરિયામાં ISISના ઘણા સ્થળો પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ISKPએ આ આતંકી હુમલો કર્યો હતો. રશિયાનું કહેવું છે કે હુમલાની યોજના યુક્રેનમાં હતી.

  • Follow us on: