- અબુ મુરાદના નેતૃત્વમાં ઈઝરાયેલ પર થયો હતો હુમલો
- હુમલામાં હજારો લોકોએ ગુમાવ્યા જીવ, અનેક લોકો ઘાયલ
- હમાસ આતંકવાદીઓ અબુ મુરાદને આપતા હતા જવાબદારી
ગયા અઠવાડિયે થયેલા વિનાશક હુમલાના જવાબમાં ઇઝરાયલે ગાઝા પટ્ટી પર પોતાનો હુમલો ચાલુ રાખ્યો છે. આ દરમિયાન ઈઝરાયેલની વાયુસેનાએ હમાસની એર વિંગ ચીફ મુરાદ અબુ મુરાદને માર્યો હોવાનો દાવો કર્યો છે. ઈઝરાયેલનો દાવો છે કે અબુ મુરાદના નેતૃત્વમાં ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ઈઝરાયેલના હુમલાનો આતંકી અબુ મુરાદ કોણ?
ઇઝરાયેલની વાયુસેનાએ શનિવારે રાતોરાત હમાસની હવાઈ પાંખના વડા મુરાદ અબુ મુરાદને માર્યો હતો. ગયા અઠવાડિયે થયેલા વિનાશક આતંકવાદી હુમલાના જવાબમાં ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના સતત હુમલા યથાવત છે. તેવામાં અબુ મુરાદ હમાસ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલ પરના ક્રૂર અને અભૂતપૂર્વ હુમલા માટે જવાબદાર હતો, જેમાં બોમ્બ ધડાકા વચ્ચે ઇઝરાયેલી એરફોર્સના જણાવ્યા અનુસાર હજારો લોકો માર્યા ગયા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અબુ મુરાદે ગયા અઠવાડિયે આતંકીઓને હુમલો કરવાની સૂચના આપી હતી. તે દરમિયાન ઇઝરાયેલી વાયુસેનાએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેણે દક્ષિણ ગાઝા તરફ જતા રહેવાસીઓની ઓળખ કરી છે. સુરંગોમાં છુપાયેલા હમાસના આતંકવાદીઓને ખતમ કરવા અને 24 કલાકની અંદર 1.1 મિલિયન લોકોને બહાર કાઢવા માટે તેના અલ્ટિમેટમ અનુસાર હવાઈ હુમલાઓ ચાલુ રખ્યા હતા.
ઘમાસાણ યુદ્ધમાં હજારો લોકોએ ગુમાવ્યા જીવ
ઇઝરાયેલી સૈન્યએ હમાસને જડમૂળથી ખતમ કરવા માટે આ વિસ્તારમાં ભૂમિ દરોડા વચ્ચે, 1.1 મિલિયન લોકોની વસ્તી માટે ખાલી કરાવવાના આદેશો જારી કર્યા પછી પેલેસ્ટિનિયનોએ ઉત્તર ગાઝામાંથી સામૂહિક હિજરત શરૂ કરી છે. સંભવિત ભૂમિ હુમલાની અપેક્ષાએ ઇઝરાયેલી ટેન્ક અને આર્ટિલરી ગાઝા સરહદની નજીક પહોંચી ચૂકી છે. IDF પ્રવક્તા જોનાથન કોનરિકસે જણાવ્યું હતું કે તેઓ "ઓપરેશનના આગલા તબક્કા માટે તૈયાર થઈ રહ્યા છે. હમાસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 70 લોકો, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો, ઇઝરાયલી હવાઈ હુમલા દરમિયાન માર્યા ગયા હતા કારણ કે તેઓએ યુદ્ધગ્રસ્ત ગાઝા સિટીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હમાસાના મીડિયા યુનિટનું કહેવું છે કે જ્યારે તેઓ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે હુમલો થયો હતો.
ઇઝરાયલે હમાસના અનેક અડ્ડાઓને બનાવ્યા નિશાન
સમગ્ર ઘટનાને લઇ ઇઝરાયેલની સૈનિકોએ જણાવ્યું હતું કે, ગાઝા શહેરની આસપાસ હમાસના ભૂગર્ભ સ્થાનોને નિશાન બનાવવાની યોજના બનાવી છે, પેલેસ્ટિનિયનો અને ઇજિપ્તવાસીઓમાં એવી ડર હતી કે ઇઝરાયેલ ઇજિપ્તની દક્ષિણ સરહદેથી ગાઝાનને હાંકી કાઢશે. પાછલા અઠવાડિયે પુનરાવર્તિત ઇઝરાયેલી હુમલાઓએ પડોશના મોટા ભાગનો નાશ કર્યો છે, ગાઝાની વેદનામાં વધારો કર્યો છે, જે ખોરાક, પાણી અને તબીબી પુરવઠોથી પણ કાપી નાખવામાં આવ્યો છે. ઇઝરાયેલના ખાલી કરાવવાના આદેશની સંયુક્ત રાષ્ટ્ર અને WHO સહિત અનેક સંસ્થાઓ દ્વારા ટીકા કરવામાં આવી છે. અઠવાડિયા સુધી ચાલેલા યુદ્ધમાં બંને પક્ષોના 3,200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.