અંક જ્યોતિષ શાસ્ત્ર
સદીઓ જૂની આ વિદ્યા જો યોગ્ય રીતે સમજવામાં આવે તો જીવન વિશે ઘણું કહી શકે છે. તેના દ્વારા વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાણકારી મળી શકે છે.
લકી ચાર્મ લોકો
કેટલાક લોકો એટલા ભાગ્યશાળી હોય છે કે તેમની હાજરીથી જ અન્ય લોકોને લાભ થવા લાગે છે. આવા લોકોને લકી ચાર્મ કહેવામાં આવે છે. ખાસ કરીને 3 મૂળાંકમાં આવા લોકો વધુ જોવા મળે છે.
મૂળાંક 3
જે લોકોનો જન્મ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 3 થાય છે. આવા લોકોનું ભાગ્ય તેજસ્વી રહે છે. ગુરુ ગ્રહના પ્રભાવને કારણે તેઓ ખૂબ જ સકારાત્મક હોય છે.
જ્ઞાન અને વિકાસ તરફ ઝુકાવ
આ લોકોમાં જ્ઞાનનો ખજાનો હોય છે, તેથી તેમની સાથે રહેવાથી બીજા લોકોને પણ ફાયદો થાય છે. તેઓ હંમેશા વિકાસ તરફ આગળ વધતા રહે છે અને નવા વિચારો પર કામ કરવાનું પસંદ કરે છે.
મૂળાંક 6
જે લોકોનો જન્મ મહિનાની 6, 15 અથવા 24 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 6 ગણાય છે. તેમના પર શુક્ર ગ્રહની વિશેષ કૃપા હોય છે. શુક્ર વૈભવ, સૌંદર્ય અને આરામનું પ્રતિક છે.
મૂળાંક 8
જે લોકોનો જન્મ મહિનાની 8, 17 અથવા 26 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 8 ગણાય છે. આ શનિદેવનો અંક છે. આવા લોકો પોતાની મહેનતથી જીવનમાં સફળતા મેળવે છે. ભલે મોડું મળે, પરંતુ સફળતા ચોક્કસ મળે છે.
આ પણ વાંચો: Surya Grahan 2026: કર્ક રાશિમાં થશે લાંબુ સૂર્ય ગ્રહણ, આ રાશિએ જરા સંભાળવુ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)