કેન્દ્ર સરકારે ગત દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી અને આને 3 ટકા વધારી દીધું હતું. આની બાદ તેઓને મળનારા મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધીને 53 ટકા થઈ ગયું હતું. આ દરમિયાનએવી ચર્ચાઓ થવા લાગી કે શું જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થોમાં સંશોધનથી પહેલા આ વધેલા ડીએને કર્મચારીઓના મૂળ પગારમાં મર્જ કરાશે?
DAને મર્જ કરવાની ચર્ચાઓ તેજ
કેન્દ્રીય કર્મચારીઓને એક મોટી ભેટ આપતા, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ડીએ 50 ટકાથી વધારીને 53 ટકા કરવામાં આવ્યું હતું અને તે પહેલી જુલાઈ, 2024થી લાગુ થશે. આ વધારા પછી, ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની સંભાવના વિશે ચર્ચા શરૂ થઈ. એવી અટકળો છે કે શું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ભથ્થું મૂળ પગારમાં આપમેળે મર્જ થઈ જશે.
મળતી માહિતી અનુસાર, સરકારે આ અંગે પોતાનું વલણ જાળવી રાખ્યું છે કે મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે જોડવામાં આવશે નહીં, ભલે તે 50 ટકા મર્યાદાને વટાવે. 5મા પગારપંચ દરમિયાન મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધુ હોય તો તેને મૂળ પગારમાં મર્જ કરવાની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ આ પછી આ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
હવે કેન્દ્રીય કર્મચારીઓના DAમાં ક્યારે વધારો થશે?
સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે વર્ષમાં બે વખત ડીએ અને ડીઆર સુધારે છે. સામાન્ય રીતે આ જાહેરાતો વર્ષના માર્ચ મહિનામાં અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરવામાં આવે છે. જે અનુક્રમે જાન્યુઆરી અને જુલાઈથી અમલી છે. આ કારણે કેન્દ્રીય કર્મચારીઓને એપ્રિલ અને ઓક્ટોબરનો પગાર બે-ત્રણ મહિનાના એરિયર સાથે મળે છે. હવે ડીએમાં આગામી વધારાની વાત કરીએ તો, માર્ચ 2025માં હોળીના તહેવાર પહેલા નવા ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે.
નિષ્ણાતો આ મુદ્દે શું કહે છે?
મળતી માહિતી અનુસાર, DAને મૂળ પગાર સાથે મર્જ કરવાની શક્યતાને નકારી કાઢવામાં આવી છે. પાંચમા પગાર પંચમાં, તેને સરળ બનાવવા અને તેની ખાતરી કરવા માટે પગાર માળખાને મૂળભૂત પગાર સાથે મર્જ કરવાની ભલામણ કરવામાં આવી હતી.