ધનતેરસના દિવસે મોટાભાગના લોકો સોના અને ચાંદીની ખરીદી કરે છે. જેના લીધે ધનતેરસના પ્રસંગે સોના અને ચાંદીની ખરીદી વધી જતી હોય છે. જો કે આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં પણ તેજી આવી હતી. આમ છતાં આ ધનતેરસે સોના અને ચાંદીનું સારું વેચાણ થયું છે.
આ ધનતેરસ પર સોનાની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે, લોકોને આશા હતી કે ધનતેરસ પર સોનાના ભાવમાં ઘટાડો થશે પરંતુ તેમ થયું નથી. જોકે, ચાંદીના વેચાણમાં ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત ધનતેરસ પર અન્ય બજારોમાં તેજી જોવા મળી હતી. સોના-ચાંદી ઉપરાંત વાહનો, ઈલેક્ટ્રોનિક સાધનો, વાસણો, કપડાં સહિતની અન્ય ચીજવસ્તુઓની સારી ખરીદ-વેચાણ થઈ હતી. મળતી માહિતી અનુસાર, આ વર્ષે ધનતેરસે 60 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હોવાની આશા છે. જ્યારે ગયા વર્ષે ટર્નઓવર 50 હજાર કરોડ રૂપિયા હતું જે 20 ટકા વધુ છે. 20,000 કરોડનું સોનું વેચાયું ધનતેરસ પર, મોટાભાગના લોકો સોનું અને ચાંદી (ગોલ્ડ-સિલ્વર પ્રાઇસ) ખરીદે છે, જેના કારણે ધનતેરસના અવસર પર સોના અને ચાંદીની ખરીદી વધી જાય છે.
મળતી માહિતી અનુસાર, ભાવમાં વધારો થવા છતાં આ ધનતેરસમાં સોના-ચાંદીનું સારું વેચાણ થયું છે. દેશભરમાં 20 હજાર કરોડ રૂપિયાનું સોનું અને 2500 કરોડ રૂપિયાની ચાંદીની ખરીદી કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ લગભગ 30 ટન સોનું વેચાયું હતું, જેની કિંમત 20 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. તે જ સમયે, 250 ટન ચાંદીનું વેચાણ થયું છે, જેની કિંમત 2500 કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે ગયા વર્ષે સોના અને ચાંદીનો કારોબાર મળીને લગભગ 25,000 કરોડ રૂપિયાનો હતો.
સોનાનું વેચાણ 15 ટકા ઘટ્યું
મળતી માહિતી અનુસાર, આજે ચાંદીના વેચાણમાં 33 ટકાનો વધારો થયો છે, જ્યારે સોનાની કિંમતમાં 15 ટકાનો ઘટાડો થયો છે. ચાંદીને વધુ વ્યવહારુ રોકાણ ગણવામાં આવે છે. આ ધનતેરસે પર સોનાનું વેચાણ 35 ટન સુધી પહોંચી ગયું હતું, જે ગયા વર્ષના 42 ટન કરતાં ઓછું છે. ગત દિવાળીથી સોનાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. મંગળવારે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનું રૂપિયા 78,430 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે અગાઉના બંધ કરતાં 0.6 ટકા વધુ હતું.
વાહનોના વેચાણમાં 25 ટકાનો વધારો
મળતી માહિતી અનુસાર, ધનતેરસ પર કાર અને ટુ-વ્હીલરના વેચાણમાં 20 થી 25 ટકાનો ઉછાળો આવ્યો હતો. દશેરા દરમિયાન આ વધારો પાંચથી 12 ટકા હતો. દિવાળી પર વેચાણનો આ આંકડો બમણો થઈ શકે છે. ધનતેરસ પર કારના વેચાણમાં 10 ટકા અને ટુ-વ્હીલરના વેચાણમાં 15 ટકાનો વધારો થયો હતો.
દરમિયાન, ઉદ્યોગ સંગઠને કહ્યું કે, ધનતેરસના દિવસે ફ્રિજ, ટીવી, વોશિંગ મશીનની સાથે સ્માર્ટફોનના વેચાણમાં 20 થી 30 ટકાનો વધારો થઈ શકે છે.