- નોકરિયાત માટે આ પ્લાન ખૂબ મહત્ત્વનો
- જરાપણ ચિંતા વગર રોકાણ કરવાથી રિર્ટન આપોઆપ મળી જશે
- માર્કેટ જોખમ, ઠગાઈ કે એવી કોઈપણ ચિંતા જ નહીં
જો તમે નોકરી કરતા હોવ અને નિવૃત્તિ પછી ખર્ચાને લઈ ચિંતિત છો તો એનપએસમાં રોકાણ કરી શકો છે. કેટલાક લોકો શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડથી સીધું રોકાણ કરી સારું રિટર્ન કમાતા હોય છે. શેરબજાર અત્યારના સમયમાં નવા રેકોર્ડ પણ સર્જી રહ્યો છે. જાણકારો અનુસાર આગામી સમયમાં આમાં તેજી યથાવત્ રહેશે. પરંતુ શેરબજારમાં સીધા રોકાણ માટે તૈયાર નહીં થતા. જો તમે પણ રોકાણને લઈ મૂંઝવણમાં છો તો એનપીએસમાં રોકાણ કરવાનો તમારો નિર્ણય યોગ્ય હોઈ શકે છે. આમાં રોકાણથી તમને ડબલ ફાયદો છે. પ્રથમ તો એ કે તમને જોરદાર રિર્ટન મળશે અને બીજું નિવૃત્તિ પછી પેન્શનની સુવિધા મળતી રહેશે.
નેશનલ પેંશન સિસ્ટમ ભારત સરકાર તરફથી શરૂ કરાયેલી પેન્શન સ્કીમ છે. આ સ્કીમને રિટાર્ટમેન્ટ પછી નિયમિત આવક માટે શરૂ કરવામાં આવી છે. પહેલી જાન્યુઆરી 2004થી સરકારી કર્મચારીઓ માટે શરૂ કરાઈ હતી. પરંતુ પછીથી આને વર્ષ-2009માં તમામ દેશવાસીઓ માટે નિવૃત્તનો ફાયદો આપવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. આનો હેતુ પેન્શન સુધારને પ્રોત્સાહન આપવાનું અને દેશવાસીઓમાં નિવૃત્તિ માટે બચતની આદતને વધારવાનો છે. 18થી 70 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતા પગારદાર વર્ગ અથવા બિન પગારદાર આમાં રોકાણ કરી શકે છે.













