- ઈબૂપ્રોફેન અને પેરાસિટેમોલની દવાઓનો સ્ટોક કરાશે તૈયાર
- ભારત ચીનને કરશે દવાઓની મદદ
- એક વ્યક્તિને ઈબૂપ્રોફેનની 6 ગોળીઓ જ મળશે
ચીનમાં કોરોના બેકાબૂ થઈ ચૂક્યો છે અને સાથે દુનિયાની મુશ્કેલી વધી છે. આ મહિનાની શરૂઆતમાં ચીન દ્વારા કડક નિયમોમાં અચાનક ઢીલ આપ્યા બાદ તાવની દવાઓ અને વાયરસ પરીક્ષણ કિટની માંગમાં ઉછાળો આવ્યો છે. તેનાથી ઈબૂપ્રોફેન અને પેરાસિટેમોલ દવાની અછત વધી રહી છે. આ સમયે ભારતે ચીનને આ સંકટમાંથી બહાર આવવા માટે મદદનો હાથ લંબાવ્યો છે. આ સિવાય તાવની દવાઓની નિકાસ વધારવા માટેની તૈયારી દર્શાવી છે.
2 દવાઓની નિકાસ વધારશે ભારત
કોરોના સંક્રમણ વધવાના કારણે ચીનમાં તાવની સામાન્ય દવાની માંગ વધી છે. માથું દુઃખવામાં મદદરૂપ ઈબૂપ્રોફેન અને તાવની પેરાસિટેમોલનો કોટા સીમિત કરવો પડ્યો છે. વધતા કોરોનાના પ્રકોપ અને જરૂરી દવાઓની અછત દૂર કરવા માટે ભારતે ચીનની મદદ કરવાની વાત કરી છે. ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે આ બંને દવાઓની નિકાસ વધારવા માટે તે તૈયાર છે.
ચીનથી સતત આવી રહી છે પૂછપરછ
Pharmexcilના ચેરપર્સન સાહિલ મુંજાલે કહ્યું કે ચીનથી દવાઓની પૂછતાછ આવી રહી છે. હાલમાં આ બંને દવાની માંગ આસમાનને અડી રહી છે. તેની મુશ્કેલી વધી છે. આ સંબંધમાં વિદેશ મંત્રાલયની તરફથી કહેવાયું છે કે ભારત દુનિયામાં જેનેરિક દવાનું સૌથી મોટું નિકાસકર્તામાંનું એક છે અને આ સંકટની ઘડીમાં ચીનની મદદ માટે ભારત તૈયાર છે.
દેશમાં ઈબૂપ્રોફોનનો કોટા નક્કી
ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના આધારે પૂર્વી ચીનના જિયાંગ્સૂ રાજ્યની રાજધાની નાનજિંગમાં Ibuprofenની મુશ્કેલીને જોતાં કોટા તૈયાર કરાયો છે. તેની એટલી અછત છે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે જે એક ગ્રાહકને આ દવાની 6 ગોળી આપવામાં આવી રહી છે.