• ઈન્ડિયા હાઉસ પેરિસના પ્રતિષ્ઠિત પાર્ક ડે લા વિલેટમાં બનાવવામાં આવશે

  • પેરીસમાં નેધરલેન્ડ, કેનેડા, બ્રાઝિલ અને યજમાન ફ્રાન્સ સહિત 14 દેશોના કન્ટ્રી હાઉસ હશે
  • વિશ્વના દરેક ખૂણેથી લોકોને ભારતની પ્રતિભા, ક્ષમતા અને મહત્વાકાંક્ષાની ઝલક મળશે

આગામી મહિનાથી રમતોના મહાકુંભ ઓલિમ્પિકનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ અંગે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) સાથે ભાગીદારીમાં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે દેશનું પ્રથમ કન્ટ્રી હાઉસ, જેને ઈન્ડિયા હાઉસ કહેવામાં આવશે, તેનું નિર્માણ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવનાર આ ઈન્ડિયા હાઉસ પેરિસના પ્રતિષ્ઠિત પાર્ક ડે લા વિલેટમાં બનાવવામાં આવશે.

ભારત સાથે અન્ય 14 દેશોના કન્ટ્રી હાઉસ હશે

ઈન્ડિયા હાઉસ સિવાય આ પાર્કમાં નેધરલેન્ડ, કેનેડા, બ્રાઝિલ અને યજમાન ફ્રાન્સ સહિત 14 દેશોના કન્ટ્રી હાઉસ હશે. ઈન્ડિયા હાઉસ માત્ર ભારતીયો માટે નથી પરંતુ તેના દરવાજા વિશ્વભરના રમતવીરો, મહાનુભાવો અને રમતપ્રેમીઓ માટે ખુલ્લા રહેશે. ઈન્ડિયા હાઉસમાં વિશ્વના દરેક ખૂણેથી લોકોને ભારતની પ્રતિભા, ક્ષમતા અને મહત્વાકાંક્ષાની ઝલક મળશે. ભારતની ભૂમિ પ્રતિભા અને વિવિધતાથી સમૃદ્ધ માનવામાં આવે છે. સંસ્કૃતિથી લઈને કલા અને રમતગમતથી લઈને યોગ, હસ્તકલા, સંગીત અને પરંપરાગત ભારતીય વાનગીઓ, ઈન્ડિયા હાઉસના આ ઘરમાં પીરસવામાં આવશે.


ઈન્ડિયાા હાઉસમાં અમે અમારા એથ્લેટ્સનું સન્માન કરીશું: નીતા અંબાણી

ઈન્ડિયા હાઉસ વિશે માહિતી શેર કરતા, IOC સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન, નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “મને પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત ઈન્ડિયા હાઉસની જાહેરાત કરતાં ખૂબ આનંદ થાય છે. હું આ અંગે ખૂબ જ ઉત્સાહિત છું. તે એક એવી જગ્યા હશે જ્યાં અમે અમારા એથ્લેટ્સનું સન્માન કરીશું, અમારી જીતની ઉજવણી કરીશું, અમારી કહાણી શેર કરીશું અને વિશ્વને ભારતીયતાના રંગમાં રંગી દઈશું.

  • Follow us on: