• નિયમો નેવે મુકી વ્યવહાર કરતી બેંકો પ્રત્યે આરબીઆઈ લાલઘૂમ
  • ગુજરાતની પાંચ બેંકોને આરબીઆઈએ ફટકાર્યો દંડ
  • મનફાવે તેમ લોન અને નાણાની લેણ-દેણ કરતી બેંકો સાણસામાં 

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ નિયમોનું પાલન ન કરતી બેંકો સામે લાલ આંખ કરી છે. નિર્દેશો અને નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરતી ગુજરાતની પાંચ સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે. આ બેંકો પર 50 હજારથી લઈ પાંચ લાખ સુધીનો દંડ કર્યો છે. કેન્દ્રીય બેંકે ગુરુવારે આપેલા નિવેદનમાં જણાવ્યું તેમ 13 ડિસેમ્બર 2023ના રોજ ઈશ્યુ આદેશમાં વડોદરાની ભારત સહકારી બેંક પર બેંકમાં રોકડ જમા રાખવા સંબંધિત નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જતા પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.

આરબીઆઈએ જણાવ્યું હતું કે આ પાંચ બેંકોમાંથી દરેક પર નિયમ પ્રમાણે અને ખામીઓ પર આધારિત દંડ કર્યો છે. તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઓર્ડર આપવાનો નથી.

આરબીઆઇના બીજા એક કેસમાં સત ડિસેમ્બરના ઈશ્યુ આદેશમાં સંખેડામાં આવેલી સંખેડા નાગરિક સહકારી બેંક પર સંબંધીઓ અને મનફાવે તેવી પેઢી સંસ્થાઓને લોન આપવામાં આપેલી સૂચનાનું પાલન ન કરતા સહકારી બેંકોએ જમા રકમ પર માપદંડોનું ઉલ્લંઘન કરતા પાંચ લાખનો દંડ લગાવ્યો હતો

કેન્દ્રીય બેંકે આઠ ડિસેમ્બર 2023ના ઈશ્યુ કરેલા પોતાના આદેશમાં કેવાયસીના નિર્દેશોનું પાલન નહીં કરતા અને જમા પર વ્યાજ દરોને પુરા ન કરવા માટે ગુજરાતના કચ્છ જિલ્લાની ભૂજ વાણિજ્યિક સહકારી બેંક પર દોઢ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ 13 ડિસેમ્બરના આદેશ પ્રમાણે પાલન ન કરતી દાહોદ જિલ્લાની લીમડી નાગરિક સહકારી બેંક પર 50 હજારનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ સાત ડિસેમ્બરના અન્ય એક આદેશનું પાલન કરતી ઓડિશાની પારલાખેમુંડીની સહકારી બેંક પર દોઢ લાખનો દંડ કર્યો હતો.


  • Follow us on: