સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી અને લૂંટફાટ જેવી ગુનાખોરી ડામવા માટે સુરેન્દ્રનગર પોલીસ વડાની સૂચનાથી એલસીબીની ટીમ સતર્ક છે. ત્યારે આણંદપુર પોલીસ સ્ટેશન હેઠળના ઢોકળવા ગામે આવેલા મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગંભીર ગુનાની તપાસમાં લાગેલી એલસીબીની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સફળતા મેળવી છે.


1.79 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરતા એક મહિલા અને એક પુરૂષ આરોપીને ઝડપી લીધા છે. તેમની પાસેથી ચોરીમાં ગયેલા ચાંદીના દાગીના અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 1,79,800નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પવિત્ર ધર્મસ્થાનમાં ચોરી કરી આસ્થાને ઠેસ પહોંચાડનાર આ શખ્સો પોલીસના સકંજામાં આવતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

ચુસ્ત તપાસ અને ધરપકડ

સુરેન્દ્રનગર એલસીબીની ટીમે આણંદપુર પોલીસ સાથે સંકલન સાધીને આરોપીઓના રહેણાંક અને અવરજવરના સ્થળો પર નજર રાખી હતી. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં અન્ય કોઈ ચોરીના ગુનામાં તેમની સંડોવણી છે કે, કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં બંને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.


આ પણ વાંચો - Surendranagar News: પોલીસ હેડક્વાર્ટર ખાતે SPની ઉપસ્થિતિમાં ધુળેટીની ઉજવણી


  • Follow us on: