અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા GIDC વિસ્તારમાંથી એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કેરાળા જીઆઈડીસીમાં 15 વર્ષની એક સગીરાએ ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ સગીરાએ કેમ આત્મહત્યા કરી તેનું કારણ અકબંધ છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, કેરાળા GIDC વિસ્તારમાં રહેતી સગીરાએ અગમ્ય કારણોસર ઘર નજીક આવેલા એક ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા જ લોકટોળા ઉમટી પડ્યા હતા. સગીરાએ આવું આત્યંતિક પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.













