અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારી સામે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ તેની મોટી અસર જોવા મળી છે. અહીં નવા બનેલા રેલવે અંડરપાસનો મુખ્ય રસ્તો સીધો જ સ્મશાનમાં પૂરો થતો હતો, જેના કારણે છેલ્લા 6 મહિનાથી રસ્તાનું કામ અધ્ધરતાલ અટકી પડ્યું હતું. આ અજીબ ગરીબ એન્જિનિયરિંગ અને તંત્રની લાપરવાહીને કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. સંદેશ ન્યૂઝે આ જનસમસ્યાને પ્રમુખતાથી દર્શાવતા આખરે ઊંઘતું તંત્ર જાગ્યું છે અને નડતરરૂપ સ્મશાનને હટાવવાની કામગીરી હાથ ધરી છે.
તંત્રએ ભૂલ સ્વીકારી સ્મશાન ખસેડ્યું













