સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાંથી એક અજાણ્યા પુરૂષનું માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગોપાલગઢ જંગલની ઝાડીઓમાં હાડપિંજર હાલતમાં પડેલા આ અવશેષો જોતા કોઈ ગંભીર ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે.
30 થી 35 વર્ષના યુવકનું હોવાનું અનુમાન
ઘટનાની મળતી માહિતી અનુસાર, ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામથી આશરે ચાર કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં આ કંકાલ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ કંકાલ અંદાજે 30 થી 35 વર્ષની વયના યુવાનનું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.













