અરવલ્લીના ભિલોડાના ધોલવાણી ગામે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા છે જેમાં 2 યુવાનના મોત થયા છે, ફુલ સ્પીડમાં કાર ચાલકે અકસ્માત સર્જયો છે અને બાઇક પર સવાર હતા ત્રણ યુવકો જેમાં એક યુવકને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે, મયુર ખરાડી અને મનોજ પાંડોરનું મોત થયું છે.


ભિલોડાના ધોલવાણી પાસે અકસ્માતમાં બે યુવકોના મોત

અરવલ્લી જિલ્લાના ધોલવાણી પાસે કાર અને બુલેટ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત અને કાર ચાલકે પુરઝડપે બુલેટ પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારી હતી જેમા બે યુવકોના સારવાર દરમિયાન મોત થયા છે તો એક યુવાન હજી સારવાર હેઠળ છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મોડી રાતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, ભૂતાવળ ગામના મયુર ખરાડી, મનોજ પાંડોરનું મોત થતા ગામમાં પણ શોકનો માહોલ છે.

ભિલોડા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, ત્યારે આ ઘટના બનતા ગામમાં શોકનો માહોલ છે અને કાર ચાલકને કડકમાં કડક સજા મળે તેવી માગ મૃતકના પરિજનોએ કરી છે.


આ પણ વાંચો : Gandhinagar News : રેશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિકની ઝંઝટમાંથી મળશે મુક્તિ, રેશન વિતરણ વ્યવસ્થામાં ડિજિટલાઈઝેશન થકી હવે QR કોડ સ્કેન કરતા જ મળશે


  • Follow us on: