હળવદ તાલુકાના રણજીતગઢ ગામ પાસે આવેલી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી આજે એક આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ હળવદ શહેરના કણબીપરા વિસ્તારમાં રહેતા જયસુખભાઈ પટેલ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકે આર્થિક ભીંસના કારણે આ અંતિમ ડગલું ભર્યું હતું.


ફાયર બ્રિગેડ દ્વારા લાશનું રેસ્ક્યુ

બનાવની જાણ થતા જ હળવદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ કેનાલના પાણીમાંથી જયસુખભાઈનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.

આર્થિક ભીંસ બની મોતનું કારણ?

મૃતક જયસુખભાઈ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા, જેના કારણે તેઓ માનસિક રીતે પરેશાન રહેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ આર્થિક તંગીથી કંટાળીને જ તેમણે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન છે. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Morbi News: હળવદ અને ટંકારામાં અલગ અલગ 10 જગ્યાઓ પર પોલીસના દરોડા, દેશીદારૂ અને આથો જપ્ત કરાયો


  • Follow us on: