ખેડા જિલ્લાના નડિયાદમાં પીજ ચોકડી નજીકથી ગૌવંશના અવશેષો મળી આવતા ગૌભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પીજ ચોકડી જેવા ધમધમતા વિસ્તાર પાસે ગાયનું કપાયેલું માથું અને પગ મળી આવતા ગૌહત્યા થઈ હોવાની આશંકા પ્રબળ બની છે. આ ઘટનાને પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
પોલીસની ભૂમિકા સામે સવાલો
ઘટનાની જાણ થતા જ હિન્દુ ધર્મ સેનાના પ્રદેશ પ્રમુખ રાજન ત્રિપાઠી કાર્યકરો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને વસો પોલીસને બોલાવી હતી. જોકે, પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સંગઠનનો આક્ષેપ છે કે, વસો પોલીસે 'કૂતરાઓ ગૌવંશ ખેંચી લાવ્યા હશે' તેવું કહીને તપાસમાંથી હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ વલણને કારણે ગૌભક્તોમાં પોલીસ પ્રત્યે વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે.













