નવસારી શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે જેમાં 1 ઈજાગ્રસ્ત થયા હતા, રૂપિયાની લેતીદેતીમાં આ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, તો જાહેર રોડ પર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ અને ફાયરિંગનો અવાજ આવતા લોકો રોડ પર ઉભા રહી ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, નવસારી પોલીસે ઘટનાને પગલે તપાસ હાથ ધરી છે.
નવસારીમાં બની ફાયરિંગની ઘટના
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો જમીન વિવાદને લઈ આ ફાયરિંગ થયુ હતુ અને દાંતેજ રોડ પર ફાયરિંગની ઘટના બની છે, જેમાં જેનું હથિયાર હતુ તેને પણ ગોળી વાગી હતી અને તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, નવસારી પોલીસે આર્મસ એકટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ઈજાગ્રસ્તને જાંઘના ભાગે ગોળી વાગતા લોહી વહ્યું હતુ.













