નવસારી જિલ્લાના ગણદેવી રોડ પર રાજ્ય પરિવહન નિગમની (ST) બસને અકસ્માત નડ્યો હતો. બસ ચાલકને આગળનો રસ્તો સ્પષ્ટ ન દેખાતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બસ પહેલા રોડ પર આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી
મળતી માહિતી મુજબ, બસ પહેલા રોડ પર આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી, બાદમાં બેકાબૂ બનેલી બસ નજીક આવેલા વૃક્ષ સાથે ટકરાઈ ગઈ હતી. અકસ્માતની ગંભીરતા છતાં બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે, જે રાહતની વાત છે.













