સુરત જિલ્લાના બારડોલી શહેરમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સામાન્ય ઘરકંકાસ અને પારિવારિક ઝઘડા ક્યારેક માણસને મોતને વહાલું કરવા સુધી મજબૂર કરી દેતા હોય છે, આવી જ એક ઘટના બારડોલીના મીંઢોળા નદીના પુલ પર જોવા મળી હતી. જ્યાં એક યુવકે જીવન ટૂંકાવવાના ઈરાદે નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા ભરત માવચે નામના યુવકે પારિવારિક ઝઘડાથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હતું. યુવક બારડોલીમાં મીંઢોળા નદીના પુલ પર પહોંચ્યો હતો અને જોતજોતામાં નદીમાં કૂદી પડ્યો હતો. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.













