અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામે માનવતાને શરમાવે તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. પતિના અવસાન બાદ જે વ્યક્તિના સહારે મહિલા રહેતી હતી, તે જ પ્રેમીએ શંકા અથવા તકરારમાં તેની પ્રેમિકાની નિર્મમ હત્યા કરી નાખી છે. લાકડાના ફટકા મારી મહિલાને મોતના ઘાટ ઉતારી પ્રેમી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે.
પતિના મોત બાદ સહારો શોધવો ભારે પડ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક મહિલાના પતિનું અગાઉ અવસાન થયું હતું. પતિના મૃત્યુ બાદ મહિલા તેના પ્રેમી સાથે અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામે લીવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. જોકે, કોઈ અગમ્ય કારણોસર પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવીને પ્રેમિકા પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થવાને કારણે મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.













