- આ વખતે આમિર ખાન 'મન કી બાત'માં ભાગ લેશે
- આમિર ખાને પીએમ મોદી માટે પોતાના મનની વાત કહી
- 2014માં પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે તેઓ 30 એપ્રિલે પ્રસારિત થનારા તેમના રેડિયો કાર્યક્રમમાં 'મન કી બાત' કરશે. પીએમ મોદી 100મા એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવા રિપોર્ટ અનુસાર આમીર ખાન અને રવીના ટંડન સહિત કેટલીય સેલિબ્રિટીઝ, સ્પોર્ટસ પર્સન, પત્રકારો, રેડિયો જોકી અને બિઝનેસમેન ભાગ લેશે. આમિરે આપેલા નિવેદનમાં તેના વિશે વાત કરી છે અને 'મન કી બાત' પર પોતાનો અભિપ્રાય શેર કર્યો છે.
આમિર ખાને કહ્યું, 'દેશના નેતાઓ જે કોમ્યુનિકેશન કરે છે તેનો આ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરે છે, પોતાના વિચાર શેર કરે છે અને પોતાના સૂચનો આપે છે. આ રીતે તમે સંચારની સાથે મળીને સારું કામ કરી રહ્યા છો. તમે તમારા લોકોને કહો છો કે તમે શું જુઓ છો, તમે ભવિષ્યને કેવી રીતે જુઓ છો, તમે તેમનો ટેકો કેવી રીતે ઈચ્છો છો. મન કી બાતમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંચાર છે.













