દેશના તમામ થિયેટરમાં પહેલી ડિસેમ્બરે રજૂ થયેલી રણવીર, બોબી દેઓલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મે સમગ્ર દુનિયાભરમાં 900 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ પણ કરી છે. તેની સાથે રજૂ થયેલી અન્ય ફિલ્મોનું નામોનિશાન નથી. પરંતુ તે હજી થિયેટરમાં હાઉસફુલ ચાલી રહી છે. એનિમલ ફિલ્મના તમામ કેરેકટર્સને ખૂબ પસંદ કર્યા છે. પરંતુ રશ્મિકા મંદાનાની ભૂમિકા માટે ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ પરિણીતી ચોપડાને સાઈન કરી હતી. પરંતુ બાદમાં તેને પરિણીતીના બપલે રશ્મિકાને લઈ લીધી હતી. કારણ કે તેને લાગ્યા કે પરિણીતી તેના મનમાં આવેલી ભૂમિકા માટે યોગ્ય નથી. તાજેતરમાં ડાયરેકટરે આ અંગે ખુલાસો કર્યો હતો.

પરિણીતી ચોપડાને બદલવાનું કારણ શું

ટ્રેડ એનાલિસ્ટના મંતવ્ય પ્રમાણે જ્યારે તેમને ફિલ્મમાં પરિણીતીને રિપ્લેસમેન્ટ અંગે જણાવ્યું તો તે પરેશાન થઈ હતી. પરંતુ બાદમાં આ નિર્ણય પાછળ કોઈ કારણ સમજમાં આવ્યું. ડાયરેકટરે પરિણીતી ચોપડાને પોતાની ભૂલ અંગે માફી પણ માગી હતી. વધુમાં જણાવ્યું કે ફિલ્મને ફ્લોર પર આવતા એક વર્ષ પહેલા ફિલ્મના કેરેકટર ગીતાંજલીને લેવા પરિણીતીને સાઈન કરી હતી. પરંતુ પાછળથી તેઓનું મન બદલાઈ ગયું હતું.

આની પાછળનું કારણ બતાવતા સંદીપ રેડ્ડી વાંગાના જણાવ્યા પ્રમાણે શૂટિંગ માટે મેં દોઢ વર્ષ પહેલાં તેને સાઈન કરી હતી. જો કે કોઈ કારણથી મને પરિણીતામાં ગીતાંજલી કેરેકટર ન જોવા મળી. મને લાગે છે કે કેટલાક કેરેકટર કેટલાક લોકો પર સેટ નથી થતા. રિવેંજ ડ્રામા ફિલ્મ એનિમલને એનિમલને અત્યાર સુધી સૌથી હિંસક ભારતીય ફિલ્મો પૈકીની એક ગણાઈ છે. એટલું જ નહિ આગામી સમયમાં આ ફિલ્મની સિક્વલ એનિમલ પાર્ક પણ આવવાની છે. જેની સત્તાવાર જાહેરાત ડાયરેકટરે કરી દીધી છે. 

  • Follow us on: