સુશાંત સિંહ રાજપૂત, દિવ્યા ભારતી, જિયા ખાન અને પ્રત્યુષા બેનર્જી જેવા કલાકારોના મોતના રહસ્યો હજુ બંધ છે. તે અંગે કોઇ નક્કર ખુલાસા કે પુરાવા સામે આવ્યા નથી. તેમનું મોત એક પ્રશ્ન બનીને રહી ગયુ છે. આવું જ એક રહસ્ય અભિનેતા કુણાલ સિંહના મોતનું છે. તેના મોત અંગે પિતાએ હત્યાનો દાવો કર્યો હતો. અને તેની પ્રમિકા પર આરોપ લગાવ્યો હતો. સોનાલી બેન્દ્રે સાથે માત્ર એક જ ફિલ્મ કરી હતી. અને તે ફિલ્મનું નામ હતુ દિલ હી દિલમે. જેના ગીત અને સંગીત આજે પણ લોકપ્રિય છે.
પિતાએ કર્યો હતો હત્યાનો દાવો
વર્ષ 2000માં આવેલી ફિલ્મ દિલ હી દિલમેમાં સોનાલી બેન્દ્રે સાથે એક નવો અભિનેતા જોવા મળ્યો હતો. તેનું નામ હતુ કુણાલ સિંહ. માત્ર એક ફિલ્મ કરીને કુણાલ સિંહ રાતોરાત સ્ટાર બન્યો હતો. અને તેની ફિલ્મના ગીત આજે પણ ચાહકો વચ્ચે લોકપ્રિય છે. પરંતુ તેના અચાનક મૃત્યુના કારણે ચાહકોને મોટો ધક્કો લાગ્યો હતો. અભિનેતાના પિતાએ દાવો કર્યો હતો કે તેમના પુત્રએ આત્મહત્યા કરી નથી પરંતુ તેને ઉશ્કેરવામાં આવ્યો હતો. કુણાલે 1999માં સોનાલી બેન્દ્રે સાથે ફિલ્મ 'કધલર ધિનમ'માં કામ કર્યું હતું. આ ફિલ્મ એટલી બધી પસંદ આવી હતી કે પાછળથી તેને હિન્દીમાં ડબ કરીને 'દિલ હી દિલ મેં' તરીકે રિલીઝ કરવામાં આવી હતી.
સહાયક સંપાદક તરીકે પણ કર્યુ કામ
ત્યારબાદ કુણાલે ઘણી વધુ તમિલ ફિલ્મોમાં કામ કર્યું. જોકે, પછીથી જ્યારે કુણાલની કોઈ પણ ફિલ્મ સફળ ન થઈ. ત્યારે તેણે સહાયક સંપાદક તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ફિલ્મ નિર્માણ પણ શરૂ કર્યું. અભિનેતાએ અનુરાધા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી, તે બે પુત્રીઓનો પિતા બન્યો હતો. અનુરાધાને શંકા હતી કે તેના પતિનું સહ-અભિનેત્રી લવિના ભાટિયા સાથે અફેર છે. પરિણામે, અનુરાધા કુણાલને છોડીને તેના બાળકો સાથે તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી.
ફ્લેટમાં લીધી ફાંસી
7 ફેબ્રુઆરી 2008ના રોજ લવિનાએ કુણાલને તેમના મુંબઈના ઘરમાં લટકતો જોયો. અભિનેતાના મૃત્યુ પછી, પોલીસે લવિનાને કસ્ટડીમાં લીધી કારણ કે તે સમયે તે ઘરે હાજર હતી. પોતાના નિવેદનમાં, લવિનાએ કહ્યું કે તે 10 મિનિટ માટે વોશરૂમ ગઈ હતી અને તે દરમિયાન કુણાલે ફાંસી લગાવી દીધી. જ્યારે લવિના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નહીં, ત્યારે તેને છોડી દેવામાં આવી. પોલીસે એમ પણ કહ્યું કે કુણાલ કરાટેમાં બ્લેક બેલ્ટ હતો અને જો કોઈ તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે તો તે પોતાને બચાવી શક્યો હોત. તે જ સમયે, અભિનેતાના પિતા કર્નલ રાજેન્દ્ર સિંહે તેમના પુત્રના મૃત્યુમાં ગેરરીતિનો દાવો કર્યો હતો.
શરીર પર હતા કાપના નિશાન
પિતાએ જણાવ્યુ હતુ કે, તેમના પુત્રના મૃતદેહને હોસ્પિટલમાંથી પાછો લાવવામાં આવ્યો ત્યારે તેના પર કાપ અને ઈજાના નિશાન હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પહેલા તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી અને પછી તેને આત્મહત્યા જેવો દેખાડવા માટે તેને ફાંસી આપવામાં આવી હતી. એટલું જ નહીં, ગળા પર ગળું દબાવવાના નિશાન પણ દેખાતા હતા. મૃતદેહને જોતાં એવું લાગતું હતું કે જાણે વ્યક્તિનું ગળું દબાવવામાં આવ્યું હોય અને પછી તેને ફાંસી આપવામાં આવી હોય.