ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને અભિનેત્રી તાનિયા ચેટર્જી વચ્ચેનો વિવાદ વધતો જાય છે. અભિનેત્રી તાનિયા ચેટર્જી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના મેસેજના ખુલાસાને લઈને સમાચારોની હેડલાઈન બની છે. અભિનેત્રી તાનિયાએ પાપારાઝી સાથે વાત કરતી વખતે દાવો કર્યો કે ક્રિકેટરે તેને 2023 માં ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. યુઝવેન્દ્રનો મેસેજ લોકો સાથે શેર કરવા પર હવે અભિનેત્રી તાનિયા વિવાદમાં સપડાઈ. યુઝવેન્દ્રને કોઈ કહેતું નથી, આ મામલે મારી જ બદનામી થઈ રહી છે. યુઝવેન્દ્ર સાથેના વિવાદ પર તાનિયાનું દર્દ છલકાયું. વધુમાં અભિનેત્રીએ આક્ષેપ કર્યો કે ચહલની ટીમ દ્વારા તેના પર આ વીડિયો ડિલીટ કરવા માટે દબાણ કરાઈ રહ્યું છે.
યુઝવેન્દ્ર મારી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો, તાનિયા
યુઝવેન્દ્ર સાથેના વિવાદ મુદ્દે હાલમાં તાનિયા ચેટર્જીએ પેપ્સ સમક્ષ ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ કહ્યું કે યુઝવેન્દ્ર ચહલે તેની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે. અભિનેત્રીના જણાવ્યા મુજબ, ક્રિકેટરે તેને નોટિસ મોકલી છે. તે કહે છે, "મને ખ્યાલ નહોતો કે આ વીડિયો આટલો વાયરલ થશે. લોકો મને ટ્રોલ કરી રહ્યા છે. હું જ બદનામ થઈ રહી છું." નોંધનીય છે કે તાનિયાએ એક વીડિયોમાં કહ્યું હતું કે યુઝવેન્દ્ર ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો અને તેને ક્યૂટ કહી હતી. જેના પુરાવા અભિનેત્રીએ ફેન્સ સાથે શેર પણ કર્યા હતા. અભિનેત્રી તાનિયા અને યુઝવેન્દ્ર ચહલને લઈને આ વિવાદ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે.













