કોમેડિયન કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહના પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી અણબનાવ હવે ખતમ થતી જણાય છે. તેની મામી સુનીતા આહુજા સાથેનો વર્ષો જૂનો વિવાદ હવે ઉકેલાઈ ગયો છે. શો 'લાફ્ટર શેફ'ના નવા પ્રોમોમાં આ સમાધાનની ઝલક જોવા મળી, જ્યાં સુનીતા આહુજાની એન્ટ્રીએ કૃષ્ણા અને કાશ્મીરાને ચોંકાવી દીધા હતા.


મામી સુનીતા આહુજાને જોતા જ કૃષ્ણા અભિષેક પગે પડ્યો

શો લાફ્ટર શેફના નવા એપિસોડનો પ્રોમો આવ્યો છે, જેમાં સુનીતા આહુજાની ઝલક જોવા મળી. તેમની એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે જોરથી કૃષ્ણા અભિષેકનું નામ પુકારીને સેટ પર એન્ટ્રી કરી. તેમને જોતા જ કૃષ્ણા અને કાશ્મીરા શાહ હેરાન રહી ગયા અને થોડી ક્ષણો માટે બિલકુલ શાંત થઈ ગયા.

કૃષ્ણા-મામી રીયુનિયન વીડિયો વાયરલ

ત્યારબાદ કૃષ્ણા તરત જ બધું છોડીને પોતાની મામીના આશીર્વાદ લેવા માટે તેમના પગે પડ્યો. આ ઈમોશનલ પળ જોઈને કાશ્મીરાની આંખો પણ ભીની થઈ ગઈ. સેટ પર હાજર બાકીના લોકો આ રીયુનિયન જોઈને ખુશીથી ચીયર કરતા જોવા મળ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ફેન્સે આપી પ્રતિક્રિયા

આ ભાવુક ક્ષણ પર ફેન્સે પણ જોરદાર પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, આ અદ્ભુત છે, જો ગોવિંદા જી પણ આવી જાય તો શો વધુ ખાસ બની જશે. બીજાએ કહ્યું, કૃષ્ણા અભિષેક માટે ખૂબ જ ખુશ છું. અન્ય એક ફેને લખ્યું, કૃષ્ણાના ચહેરાનું સ્મિત બતાવી રહ્યું છે કે તે કેટલો ખુશ છે, આખરે લાંબી રાહ પૂરી થઈ. આ પહેલા ત્રણેયને પેપરાઝી સાથે વાતચીત કરતા અને એકબીજાને ગળે લગાવતા પણ જોવામાં આવ્યા હતા. સુનીતા આહુજાએ આ પ્રસંગે કહ્યું, 14 વર્ષ પછી આજે વનવાસ પૂરો થયો છે. જ્યારે કાશ્મીરા શાહે મજાકમાં કહ્યું, હવે કોઈ બીજાનો શરૂ થશે.


સુનીતાએ હસતા હસતા ઉમેર્યું, કોની કોની બળશે, ભગવાન જ જાણે. કૃષ્ણા અભિષેકે આ રીયુનિયન વિશે કહ્યું, આ અમારા માટે ખૂબ મોટું સરપ્રાઈઝ હતું. અમને બિલકુલ ખબર નહોતી કે સુનીતા આહુજા આજે શોનો ભાગ બનવાના છે. તેમનો આભાર કે તેમણે આ માટે હા પાડી. આ સાથે જ છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલી તમામ અફવાઓ અને સમાચારો પર હવે વિરામ લાગી ગયો છે.

ક્યાંથી શરૂ થયો હતો વિવાદ?

મામા ગોવિંદા અને કૃષ્ણા વચ્ચે વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે ગોવિંદાને ટીવી પર કૃષ્ણાના કેટલાક જોક્સ પસંદ ન આવ્યા. ત્યારબાદ સુનીતા આહુજા પણ કૃષ્ણા અને તેના પરિવારથી દૂર થઈ ગયા. એવું માનવામાં આવે છે કે કાશ્મીરા શાહના એક જૂના ટ્વિટ જેમાં પૈસા માટે નાચનારાઓ ની વાત કહેવામાં આવી હતી તેનાથી વિવાદ વધુ વધ્યો, જેને ગોવિંદા પર કટાક્ષ માનવામાં આવ્યો હતો.


પરિવારિક વિવાદ હવે અંત તરફ વધ્યો

સમયની સાથે આ તણાવ વધુ ઘેરો બનતો ગયો અને બંને તરફથી અનેક નિવેદનો સામે આવ્યા. ક્યારેક કૃષ્ણાએ આરોપ લગાવ્યો કે ગોવિંદા તેના બાળકોને મળવા હોસ્પિટલ ન આવ્યા, તો ગોવિંદાએ તેને અપ્રામાણિક સુધી કહી દીધો. 2024 માં સુનીતાએ ત્યાં સુધી કહ્યું હતું કે તેઓ 'ધ કપિલ શર્મા શો' માં એટલે નથી જતા કારણ કે તેમાં કૃષ્ણા હાજર હોય છે. જ્યારે ગોવિંદાના પગમાં ભૂલથી ગોળી વાગી હતી, ત્યારે કૃષ્ણા અને કાશ્મીરા હોસ્પિટલમાં તેમને મળવા પહોંચ્યા હતા. આ સાથે જ લાંબા સમયથી ચાલી રહેલો આ પારિવારિક વિવાદ હવે પૂરો થતો દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો- Bhooth Bangla : દુનિયાભરમાં ભૂત બંગલાનો ખુમાર, માત્ર બે જ દિવસમાં અક્ષય કુમારની ફિલ્મે કરોડોનો આંકડો કર્યો પાર!

  • Follow us on: