શ્વેતા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે

શ્વેતાએ બે વાર લગ્ન કર્યા અને તેના બંને લગ્ન સફળ ન રહ્યા

શ્વેતાએ દીકરી પલકને લગ્નને લઈને આ સલાહ આપી

એક્ટ્રેસ શ્વેતા તિવારી આજે કોઈ ઓળખની જરૂર નથી. શ્વેતા આજે જ્યાં છે ત્યાં પહોંચવાની સફર સરળ ન હતી. તેણે ભલે તેની કરિયરની શરૂઆત ટેલિવિઝનથી કરી હોય, પરંતુ તેણે બોલિવુડથી લઈને ભોજપુરી સિનેમા સુધી તેની એક્ટિંગની તાકાત બતાવી છે. પરંતુ કસૌટી ઝિંદગી કીમાં પ્રેરણાના પાત્રથી તેને દરેક ઘરમાંથી સૌથી વધુ ઓળખ મળી.

 શ્વેતા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે. ભલે તેણે પડદા પર તેના પાત્રથી બધાના દિલ જીતી લીધા, પરંતુ તે પર્સનલ લાઈફમાં નિષ્ફળ ગઈ. શ્વેતાએ બે વાર લગ્ન કર્યા અને તેના બંને લગ્ન સફળ ન રહ્યા. તેના બીજા લગ્નના તૂટ્યા બાદ શ્વેતાને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી, પરંતુ તે હારી ન હતી અને તેના બંને બાળકોની સારી રીતે સંભાળ કરી હતી. આવામાં શ્વેતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે તેની પુત્રી પલકને લગ્ન અંગે શું સલાહ આપી હતી.

શ્વેતાએ દીકરી પલકને લગ્નને લઈને આ આપી સલાહ

એક ઈન્ટરવ્યુમાં શ્વેતા તિવારીએ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફ વિશે પણ ખુલીને વાત કરી હતી. આ ઈન્ટરવ્યુમાં જ્યારે શ્વેતાને પૂછવામાં આવ્યું કે, તમે તમારી દીકરી પલક તિવારીને લગ્નને લઈને શું સલાહ આપશો? આ સવાલના જવાબમાં શ્વેતાએ કહ્યું હતું કે, 'મેં મારી પુત્રી પલકને લગ્ન ન કરવાની સલાહ આપી છે. આ પછી પણ જો તે લગ્ન કરવા માંગે છે તો તેણે તેના વિશે બે વાર વિચારવું પડશે.

બીજા લગ્ન ખૂબ જ ખરાબ રીતે તૂટ્યા

શ્વેતાએ આ જ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે રાજા ચૌધરી સાથેના તેના પહેલા લગ્નને બચાવવા માટે ઘણી કોશિશ કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહી હતી. પલક તિવારી રાજા અને શ્વેતાની પુત્રી છે. રાજા પછી શ્વેતાએ એક્ટર અભિનવ કોહલી સાથે બીજી વાર લગ્ન કર્યા. શરૂઆતમાં લગ્ન સારા હતા, પરંતુ બાદમાં તે પણ તૂટી ગયા. અભિનવ સાથેના તેના લગ્ન ખૂબ જ ખરાબ રીતે તૂટી ગયા. શ્વેતાએ તેના પર ઘણા આરોપો લગાવ્યા હતા. શ્વેતાને અભિનવથી એક પુત્ર રેયાંશ છે, જે તેની સાથે રહે છે.

  • Follow us on: