• સંજય દત્તની પ્રથમ પત્ની ઋચા શર્માને કૅન્સર હતું
  • એક પછી એક હિટ ફિલ્મો આપ્યા બાદ અચાનક બોલિવૂડને ગુડ બાય કર્યું
  • ઋચા શર્માને હિન્દી ફિલ્મોમાં લાવવાનું શ્રેય દેવ આનંદને જાય છે

સદાબહાર અભિનેતા દેવઆનંદની હીરોઈન બનવું કોઈ પણ અભિનેત્રી માટે ખાસ વાત હતી. આામાં જો પ્રથમ ફિલ્મમાં આ મેગાસ્ટારની સાથે કામ કરવાની તક મળે તો પછી તો પૂછવું જ શું. આ ખાત ચાંસ ઋષા શર્માને મળ્યો હતો. તેને પોતાની ત્રણ વર્ષના લાંબા કરિયરમાં પાંચ ફિલ્મો કરી હતી. વર્ષ 1987માં આવેલી 'આગ હી આગ' ઋચાનાં અભિનય કરિયરની છેલ્લી ફિલ્મ હતી. આ વર્ષે ઋચા શર્માએ બોલિવૂડ એકટર સાથે લગ્ન પણ કરી લીધા હતા અને ઋચા શર્મા દત્ત બની ગઈ હતી.

 પ્રથમ ફિલ્મ મળી

વર્ષ-1978માં દેવ આનંદે પોતાની ફિલ્મ દેશ પરદેશ રિલીઝ કરવા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. જ્યાં તેમને ઋચા પોતાના પરિવારની સાથે આવી હતી. આ સમયગાળઆમાં ઋચાને દેવ આનંદ સાથે મળવાની તક સાંપડી અને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ઋચા માત્ર 14 વર્ષની હતી દેવ આનંદે તેને ભણતર પૂર્ણ કરવાનું કહ્યું અને ઋચાને પોતાનો નંબર પણ આપ્યો હતો અને આ દરમિયાન ઋચા શર્મા અને દેવ આનંદ સતત એકબીજાની સંપર્કમાં રહ્યા હતા. ત્યારબાદ વર્ષ-1985માં 'હમ નૌજવાન' ફિલ્મ માટે ઋચાને સાઈન કરી લેવામાં આવી આવી. પછી તો એક પછી એક ફિલ્મોનો સીલસીલો યથાવત્ રહ્યો હતો. ઋચાએ વર્ષ 1986માં 'અનુભવ' અને 'ઈન્સાન કી આવાજ'માં પણ કામ કર્યું હતું. 1987માં ઋચાએ વધુ બે ફિલ્મો કરી હતી. એક તો 'સડક છાપ' અને 'આગ હી આગ' આ બે ફિલ્મો કર્યા પછી ઋચા શર્માએ બોલિવૂડના અભિનેતા સંજય દત્ત સાથે લગ્ન કરી ઠરીઠામ થઈ હતી. જો કે ઋચા શર્માના ભાગ્યમાં વધુ સુખ ન હોવાથી લગ્નના માત્ર થોડા વર્ષોમાં જ કૅન્સરને લીધે નિધન થયું હતું. 

  • Follow us on: