- બંનેમાંથી કોઈએ આ સંબંધને લઈને ટિપ્પણી કરી નથી
- બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હોવાના સમાચાર વાયરલ
- એક્ટ્રેસે લગ્નને લઈને 2 શબ્દનો ટૂંકો જવાબ આપ્યો
ભારતીય ક્રિકેટર ઋષભ પંત એક ભયાનક કાર અકસ્માત બાદ IPL 2024માં ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. આ વખતે તે દિલ્હી કેપિટલ્સની આગેવાની કરતો જોવા મળી રહ્યો છે. જો કે, ક્રિકેટ ન રમી હોવા છતાં પણ તે સોશિયલ મીડિયા પર સમાચારમાં રહ્યો હતો. જેનું કારણ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથેના તેના સંબંધો છે. એવા અહેવાલો હતા કે બંને એકબીજાને ખૂબ પસંદ કરે છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈએ ટિપ્પણી કરી નથી. પરંતુ તાજેતરમાં ફિલ્મજ્ઞાનને આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેને ઋષભ પંત વિશે પૂછવામાં આવ્યું તો તેણે પ્રતિક્રિયા આપી.
જાણો ઉર્વશીએ શું આપ્યો જવાબ













