મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર એક એવો અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જો કે સારી વાત એ રહી કે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી


મળતી માહિતી મુજબ, રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ, મોરબી, સુરત, રાજકોટ, કચ્છ-ભૂજ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અકસમાતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હાઇવે અકસ્માતને લઇ તંત્ર દ્વારા જાગૃત કરવા છતા અમુક વાહન ચાલકો બેફામ વાહનો ચલાવીને લોકોના જીવ છીનવી રહ્યા છે. તેવામાં સુરતના માંગરોળમાં 5 વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 2 ટ્રક અને 3 કાર વચ્ચે અકસ્માત થયો હતો. અમદાવાદથી મુંબઇ તરફ જતા માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વાહનોની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ સતત વધારો થતો જાય છે. આજે સોમવારનો દિવસ ગોજારો સાબિત થયો છે. રાજ્યમાં અકસ્માતની વણઝાર સર્જાઈ છે. રાજ્યમાં અલગ અલગ અકસ્માતે મોતની ચાર ઘટના સર્જાઈ,

સુરતમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર એકસાથે 5 વાહનોને અકસ્માત નડ્યો છે. અકસ્માતની ઘટનામાં 2 ટ્રક, 3 કાર વચ્ચે અકસ્માતના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ હોય તેવા સમાચાર હજુ મળ્યા નથી, જોકે વાહનોમાં ભારે નુકશાન થયું છે. 


  • Follow us on: