મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર એક એવો અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જો કે સારી વાત એ રહી કે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી
મળતી માહિતી મુજબ, રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ, મોરબી, સુરત, રાજકોટ, કચ્છ-ભૂજ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અકસમાતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હાઇવે અકસ્માતને લઇ તંત્ર દ્વારા જાગૃત કરવા છતા અમુક વાહન ચાલકો બેફામ વાહનો ચલાવીને લોકોના જીવ છીનવી રહ્યા છે. તેવામાં સુરતના માંગરોળમાં 5 વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 2 ટ્રક અને 3 કાર વચ્ચે અકસ્માત થયો હતો. અમદાવાદથી મુંબઇ તરફ જતા માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.













