આણંદના આંકલાવમાં તબેલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આંકલાવ તબેલામા આગ લાગતા 4 પશુના મોત નિપજયા. આંકલાવ તબેલા નજીક વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે. શોર્ટ સર્કીટ થતા ડીપીના તણખા તબેલામાં પડેલા ઘાસના પૂળા પર પડ્યા અને આગે લીધું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ લાગતા તબેલામાં બાંધેલ ચાર ભેંસો ભયંકર રીતે દાઝી ગઈ. તેમને સારવાર મળે તે પહેલા જ ખરાબ રીતે દાઝવાના કારણે ભેંસના મોત થયા.
આગમાં નિર્દોષ પશુના મોત













