રાજ્યભરમાં અકસ્માતના બનાવો દરરોજ સામે આવતા હોય છે. મોટા વહાન ચાલકોની બેફાન સ્પીડના કારણે નાના વહાન ચાલકોના મૃત્યું નિપજે છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વર નજીક NH 48 પર અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આમલાખાડી ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહનની ટકકરે બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે મોત થયું હોવાની માહિતી સામે આવી છે.


અકસ્માતમાં એક યુવાનનું મોત

અંકલેશ્વર નજીક NH 48 પર અકસ્માતની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે જેમાં આમલાખાડી ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહનની ટકકરે બાઈક સવાર યુવાનનું મોત થયું છે. સજોદ ગામના યુવાન જયેશ રાઠોડનું મોત નિપજ્યું છે. આ ગંભીર અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો હતા. સાથે જ બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

ગઈકાલે સુરતમાં બની અકસ્માતની ઘટના

ગઈકાલે સુરતમાં ડમ્પર અને ટુ વ્હીલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 13 વર્ષની કિશોરીનું મોત નિપજ્યું હતું. ઉમરપાડાના વાડી ગામના મુખ્ય માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. ટુ વ્હીલર પર સવાર 3 લોકોને અકસ્માત નડ્યો હતો. પોલીસે આ ઘટનામાં ડમ્પર ચાલકની અટકાયત કરી હતી. પરિવાર બાઈક પર ત્રણ સવારી કામ અર્થે નીકળ્યો હતો તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.


  • Follow us on: