સુરેન્દ્રનગર સહિત ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકોના મોત થતા હોય છે. હાઈવે પર અકસ્માતની ઘટનાઓ રોજેરોજ બનતી જ હોય છે. જેમાં ઘણા લોકોનો જીવ જતો રહેતો હોય છે. હાઈવે પર બનતી ઘટનાઓમાં પૂરપાટ ઝડપે ચાલતા વાહનચાલકો બેદરકારી પૂર્વકનું ડ્રાઈવિંગ કરે છે. જેથી અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. સુરેન્દ્રનગરના થાનગઢ નજીક કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના દંપતિનું મોત થયું હતું.


કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે થાનગઢ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના દંપતિનું મોત થયું હતું. રાજકોટથી પરિવાર કોઢ ગામે માતાજીના માંડવામાં જઈ રહ્યો હતો. કાર પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માતમાં સર્જાયો હતો.જેના લીધે રાજકોટના પ્રેમજીભાઈ અને તેમના ધર્મપત્ની લાભુબેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી દંપતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

દંપતિનું મોત નિપજ્યું
થાનગઢ નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.તો દંપતિનું કરુણ મોત નિપજ્યું હતું. તો સુરેન્દ્રનગરમાં અકસ્માતોનો સિલસિલો હજુ પણ યથાવત્ત હોય તેમ જણાઈ રહ્યું છે.ત્યારે અકસ્માતની જાણ થાનગઢ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ પણ ઘણા ગંભીર અકસ્માતો સર્જાયા છે. જેમાં ઘણા લોકોના મોત થયા છે.


  • Follow us on: