ગુજરાતના ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 'ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ' મારફતે ઘઉંની સીધી ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાકની વાવણી અંગેની એન્ટ્રી પણ જરૂરી છે
આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહે તે માટે ખેડૂતોનું નોંધણીથી લઈને વેચાણ સુધીનું તમામ કાર્ય ઓનલાઈન અને બાયોમેટ્રિક પદ્ધતિથી કરવામાં આવશે. ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતોએ તા. ૦૧/૦૩/૨૦૨૬ સુધીમાં સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અધ્યતન ૭/૧૨ અને ૮-અ ના ઉતારા, પાકની વાવણી અંગેની એન્ટ્રી (અથવા તલાટીનો દાખલો) અને બેંક પાસબુક કે કેન્સલ ચેકની નકલ અનિવાર્ય છે.













