અમદાવાદ મનપાની શાળાઓને લઇ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવે AMC સ્કૂલ બોર્ડ માધ્યમિક શાળાઓ શરુ કરશે. ધોરણ 10 સુધી સ્કૂલ બોર્ડની શાળામાં ભણી શકાશે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા મનપાએ આ નિર્ણય લીધો છે. અમદાવાદ મનપા નવી 7 માધ્યમિક શાળાઓ શરુ કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એ.એમ.સી દ્વારા આગામી સત્રથી સાત ઝોનમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. હાલમાં શહેરમાં એ.એમ.સી સંચાલિત ધોરણ 1 થી 8ની 400થી વધુ સ્કૂલો ચાલે છે. આગામી સમયમાં ધોરણ 9 અને 10ની માધ્યમિક શાળાઓ શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી હવે બાલમંદિર માંડીને ધોરણ 10 સુધી મફત શિક્ષણ મળશે.













