કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધીની બેઠક બાદ ગુજરાત સહપ્રભારી સુહાસિની યાદવએ નિવેદન આપતા કહ્યું કે ‘રાહુલ ગાંધીએ આપેલા ચેલેન્જને પૂરા કરીશું’. વધુમાં તેમણે કહ્યું કે તમામ પાસેથી રાહુલ ગાંધીએ સૂચન મેળવ્યા છે. નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કરેલ બેઠકમાં મહત્વની ચર્ચા થઈ. મીટિંગમાં કોંગ્રેસે આગામી દિવસોને ગુજરાત કોંગ્રેસમાં કેવા બદલવા કરવા તેને લઈને સ્ટ્રેટેજી બનાવી છે. ગઈકાલે થયેલી મિટિંગ કોંગ્રેસની સ્ટ્રેટેજી બનાવવા માટેની આંતરિક મિટિંગ હતી.


રાહુલ ગાંધીએ ગદ્દારો પર પ્રહાર કર્યા

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસનો મુખ્ય ઉદેશ્ય આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેવી રણનીતિ ઘડવી તે માનવામાં આવી રહ્યો છે. 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ જમીની સ્તરે કામ કરાશે.અમદાવાદની બેઠકમાં ધારાસભ્યો, પ્રમુખો નેતાઓ અને કાર્યકર્તાઓને સાંભળ્યા. બેઠકમાં રાહુલ ગાંધીએ તમામ પાસેથી સૂચન મેળવ્યા છે. બેઠકમાં રાહુલ ગાંધીએ પોતાના પાર્ટીના ગદ્દારો પર પ્રહાર કર્યો.

કેટલાક નેતાઓ ભાજપ સાથે ભળેલા

રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે ભળેલા છે. કોંગ્રેસમાં બે પ્રકારના નેતાઓ છે જનતા સાથે છે અને બીજા જનતાથી દૂર છે.મારી જવાબદારી છે કે હું આ બે ગ્રુપોને ઓળખું અને તે પ્રમાણે કામગીરી કરું. કોંગ્રેસમાં બબ્બર શેર છે પણ પાછળથી ચેન લાગેલી છે. પાર્ટીમાં રહેલા ગદ્દારોને કાઢવા પડે તા કાઢીશું. 20-40 લોકોને કાઢવા પડે તો પણ કંઈ વાંધા નહી કોંગ્રેસમાં નેતાઓની કમી નથી. કાર્યકર્તાઓને ઉદેશીને કહ્યું કે ફક્ત સત્તા મેળવવા પાર્ટીમાં ના જોડાવ. જીત કે હારની વાત છોડો દિલમાં કોંગ્રેસ હોવી જોઈએ. 

  • Follow us on: