પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમ લગ્ન કરીને અલગ રહેતા યુવક અને યુવતીના અપહરણની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવી એક ઘટના અમદાવાદના બગોદરામાં બની છે. પ્રેમ લગ્ન કરીને યુવક અને યુવતી ચાંગોદરમાં રહેતા હતાં. યુવતીના પરિવારે મોરૈયા વિસ્તારમાંથી બંનેનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ બગાદરા પોલીસમાં નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


 યુવક અને યુવતીના અપહરણની ઘટના

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બગોદરા પોલીસ સ્ટેશનમાં યુવક અને યુવતીના અપહરણની ઘટના અંગે ફરિયાદ નોંધાઈ હતી. યુવક અને યુવતી અલગ અલગ સમાજના હોવાથી તેઓ સાપર વેરાવળ ખાતેથી એક મહિના પહેલા ભાગીને આવી લગ્ન કરી ચાંગોદરમાં રહેતા હતાં. જેની જાણ યુવતીના પરિવારને થઈ જતાં પરિવાર સાપરથી મોરૈયા આવ્યો હતો.ગઈકાલે સાંજે યુવક અને યુવતી નોકરી પરથી ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે યુવતીના પરિવારે બંને જણનું અપહરણ કરી તેમને વતનમાં લઈ જવાયા હતાં.

મોરૈયાથી બગોદરા પોલીસને જાણ કરાઈ

આ અંગે મોરૈયાથી બગોદરા પોલીસને જાણ કરાઈ હતી કે, એક યુવક અને યુવતીને માર મારી તેમનું અપહરણ કરીને એક ક્રેટા ગાડી નીકળી છે. પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને ગાડીને પકડી પાડી હતી. તેમાંથી યુવક અને યુવતીને બગોદરા પોલીસ કારમાંથી નીચે ઉતારી સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી.ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતાં. ચાંગોદર પોલીસે યુવતીના પરિવારના ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: