અમદાવાદના ઈન્દિરા બ્રિજ નજીક આવેલા સરદારનગર વિસ્તારમાં આગની ઘટના બની છે. ઈન્દિરા બ્રિજ નજીક આવેલા આત્રેય એપાર્ટમેન્ટમાં ચોથા માળે ભીષણ આગ લાગી છે. એપાર્ટમેન્ટમાં લગાવેલા એસીમાં અચાનક આગ લાગતા આગ પાંચમા માળ સુધી પ્રસરી હતી. આગની ઘટના બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.













