અમદાવાદમાં સાબરમતી નદીમાં બે દિવસ પહેલા ન્હાવા પડેલા એક સગીરનું મોત થયું હતું.ચારથી પાંચ સગીરો નદીમાં ન્હાવા માટે ગયા હતાં. જ્યાં અચાનક એક સગીર નદીમાં ઊંડા ખાડામાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ તેમજ તરવૈયાઓને થતા તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટના બાદ ફરીવાર લોકો જીવના જોખમે નદીમાં ન્હાવા પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે.
લોકો જ નદીમાં જીવના જોખમે ડૂબકી લગાવી રહ્યાં છે













